ચાણક્યનીતિ


સાતમો અધ્યાય

૧૧ રાજાનું બળ તેના સૈન્યમાં અને બ્રામણનું બળ તેના જ્ઞાનમાં હોય છે .સ્ત્રીઓનું બળ તેના રૂપ , યૌવન અને મધુર વ્યવહાર માં છે .

૧૨ વનમાં સીધાં વૃક્ષો કપાય છે , વાંકાચૂકા વૃક્ષોને કોઈ અડતું નથી . તે જ રીતે મનુષ્યે અત્યંત સીધા અને સરળ સ્વભાવ ન રાખવો જોઈએ .

૧૩ જ્યાં જળ હોય છે ત્યાં જ હંસ રહે છે . જળ સુકાઈ જાય ત્યારે હંસ તે સ્થળ છોડી દે છે.

પરંતુ મનુષ્યે હંસ જેવું સ્વાર્થી ન બનવું જોઈએ કેમકે ગમે ત્યારે કોઈની પણ મદદ ની જરૂર પડી શકે છે .

૧૪ જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે , તેમ ભેગા કરેલા ધનનો સારા માર્ગે ખર્ચ કરવાથી જ તેનું રક્ષણ થાય છે .

૧૫ સંસારમાં જેની પાસે ધન હોય છે તેના બધા જ મિત્રો અને સગા વ્હાલા હોય છે . શ્રીમંત વ્યક્તિને શ્રેષ્ઠ મનાય છે અને તે જ માનપૂર્વક જીવન જીવે છે .