પહેલો ગિરમીટયો ભાગ – ૫

પ્રકરણ – ૫

  • એક દિવસ મોહનદાસ ક્રુગરનો મહેલ જોવા ગયા. ક્રુગર ત્યાંના પ્રેસિડન્ટ હતાં . મહેલ જોત જોતા મોહનદાસ વિચારોમાં ખોવાઈ ગયા અને ફૂટપાથ પર કાળાઓને ચાલવાનું નથી તેવું ફરમાન ભૂલાઈ ગયું ત્યાંજ એક સૈનિક જોઈ ગયો અને મોહનદાસને મારવાનું ચાલુ કરી દીધું .
  • અધમુવા મોહનદાસને મિ. કોટ્સ મળી ગયા અને વધુ મારથી તેઓ બચી ગયા . તેઓને મિ.કોટ્સ ઘરે લઇ ગયા અને કેસ કરવાનું સૂચન કર્યું .
  • મોહનદાસે પોતાના અનુભવ દાદા અબ્દુલ્લાને પત્ર દ્વારા જાણ કરી .
  • મિ. બેકર અને અન્ય મિત્રોની સાથે પ્રોટેસ્ટનો ધાર્મિક સંમેલનમાં ગયા ત્યાં માત્ર ખ્રિસ્તી ધર્મ જ મહાન છે, તેનાથી જ મુક્તિ મળી શકે આવું બધું સાંભળી ગુંચવાતા રાયચંદભાઈ યાદ આવી ગયા .

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પ્રકરણ – ૬ માટે થોડી રાહ જુઓ …………...

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૨

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પહેલો ગિરમીટયો ભાગ – ૪

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

 

પહેલો ગિરમીટયો ભાગ – ૪

પ્રકરણ – ૪

  • આ પ્રકરણમાં મોહનદાસ તેમના પિતાના અંતિમ સમયની વાત છે . મોહનદાસને તેમના ઘરમાં બધા મોની યો કહેતાં હતાં .
  • મોહનદાસના કાકા એક રાતે તેમના પિતાની ખબર કાઢવા માટે આવ્યા અને મોહનદાસને તેમના કાકાએ પોતે પિતાજીની સેવા કરશે અને તું જઈને સુઈ જા તેવું કહેતાં ની સાથે જ મોહનદાસ ત્વરિત પોતાના રૂમમાં કસ્તુર સાથે સુવા ચાલ્યા ગયા .
  • મોહનદાસ પોતે કસ્તુર સાથે સૂતા હતાં તે જ સમયે તેમના બાપુએ શ્વાસ છોડી દેતાં તેઓ દુઃખી થઇ ગયા . પોતે કસ્તુર સાથે સબંધ સાધતા હશે ત્યારે બાપુના આત્માએ તેમને જોયા હશે તેવા ગાંડા વિચારો આવતાં હતાં .
  • ક્સ્તુરને બાળક મરેલું જન્મતા પિતાની ચાકરીમાં છેલ્લે ઉણપ કરી તેનું જ પરિણામ માની લીધું .
  • મોહનદાસને શેખ મહેતાબ સાથે મિત્રતા હતી તેનો કસ્તુર અને ઘરનાને વિરોધ હતો .
  • મોહનદાસ મહેતાબને પોતાને થયેલાં અનુભવો પત્રમાં લખતા અને તે કસ્તુર અને તેમના પુત્ર હરીને સંભળાવતા .
  • મોહનદાસ પ્રિટોરિયામાં રહેતા હિન્દુસ્તાનીઓના ભાવિ વિશે ચર્ચા કરવા માટે તૈયબ શેઠને મળવા ગયા . તૈયબ શેઠ સાથે વાતચીતમાં જણાવી દીધું કે દાદા અબ્દુલ્લાના વકીલ તરીકે અને આ ચર્ચા બન્ને અલગ વાત છે તે સ્પષ્ટતા કરી .
  • શેઠ હાજી મહમદના ઘરે બધા ભારતીયોની મીટીંગ ગોઠવાઈ અને આગળ વધુ મીટીંગો વાંરવાર થતી રહી .
  • મોહનદાસ મોડી રાતે ૯ વાગે તેમના મિત્ર મિ. કોટ્સ સાથે ફરવા નીકળતા ત્યારે મિ.કોટ્સ મોહનદાસને કહેતાં હતાં કે રાતે ૯ વાગ્યા બાદ કાળાઓને ફરવા નીકળવાની મનાઈ છે.
  • મિ.કોટ્સે કાયદો વધુ સમજાવવા મોહનદાસને મિ. ક્રાઉઝ પાસે લઇ ગયા. મિ. ક્રાઉઝે પોલીસ હેરાન ના કરે તે માટે એક પત્ર લખી આપ્યો .

 

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પ્રકરણ – ૫ માટે થોડી રાહ જુવો ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૨

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી

આજે ૧૧ જાન્યુઆરીએ ભારતમાં લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી તરીકે ઉજવાય છે . ૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું .

લાલબહાદુર શાસ્ત્રીણી પુણ્યતિથી પર તેમના જીવન પરનો એક રેર વીડીઓ યુ ટ્યુબ પર માણીએ .

http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related

http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related

લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ના પ્રેરક પ્રસંગ જાણવા માટે ક્લિક કરો

લાલબહાદુર શાસ્ત્રી વિશે વધુ જાણવા વિકીપીડ્યા પર ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પ્રકરણ – ૩

  • મોહનદાસ ૨૪ વર્ષની ઉંમરે ૨૪ મે ૧૮૯૩માં નાતાલ આવ્યા હતા . તેમને બંદરે લેવા માટે દાદા અબ્દુલ્લા સાથે રૂસ્તમજી અને મિ. માર્શલ લેડ્યુ આવ્યા હતા.
  • મોહનદાસને એક વર્ષના કામ માટે ફર્સ્ટ ક્લાસનું ભાડુ, રહેવા અને ખાધા ખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉન્ડ આપવાનું નક્કી થયું હતું .
  • મોહનદાસ જે સ્ટીમ્બરમાં જવાના હતા તે સ્ટીમ્બરમાં પ્રથમ વર્ગમાં મોઝામ્બિકના ગવર્નર જવાના હોવાથી તેમના માટે જગ્યા ન હતી. તેમણે ચીફ ઓફિસરને પોતાનો પરીચય આપ્યો અને કહ્યું આ સ્ટીમ્બરના માલિક દાદા અબ્દુલ્લાના જ કામથી તેઓ જઈ રહ્યા છે.
  • ચીફ ઓફિસરે પોતાની કેબીનમાં જગ્યા ફાળવી જેથી ડેકના ઉતારુ તરીકે જવામાંથી છુટ્યા .
  • સ્ટીમ્બર પ્રથમ લામુમાં ૩ થી ૪ કલાક માટે રોકાવાની હતી.
  • મોહનદાસને આફ્રિકન સાથે પ્રથમ મુલાકાત લામુ પોસ્ટ ઓફિસમાં થઈ ત્યાં ભારતીયો કામ કરતા હતા.
  • સ્ટીમ્બર ઝાંઝીબારમાં એક અઠવાડિયું રોકાવાની હતી.
  • મોહનદાસ પ્રથમવાર દાદા અબ્દુલ્લાને મળ્યા ત્યારે તેઓ માર્શલ સાથે અવનવા પ્રસંગોની વાતમાં વ્યસ્ત હતા અને હુકો પીતા હતા.
  • મોહનદાસને ટ્રાન્સવાલમાં દાદા અબ્દુલ્લાના કેસમાં તેમના વકીલ મિ. બેકરને બ્રીફ તૈયાર કરવામાં મદદ કરવાની હતી.
  •   કોર્ટમાં મેજિસ્ટ્રેટે મોહનદાસને પાઘડી ઉતારીને આવવા કહ્યું ત્યારે પાઘડી પોતાનું સ્વમાન છે તેમ કહી કોર્ટ છોડીને બહાર નીકળી ગયા.
  • કોર્ટમાં માત્ર આરબોને જ પાઘડી પહેરવાની છૂટ હતી તે જાણી ખુબ દુઃખી થયા અને આખી રાત વિચારોમાં ખોવાયેલા રહ્યા .
  • મોહનદાસને પાઘડી પરથી પિતાજીની પાઘડીની વાત યાદ આવી ગઈ. તેમના પિતાજી રાજકોટના ઠાકોર સાહેબનો રથ લઇ પોરબંદર લગ્નમાં જતા હતા તે વખતે રસ્તામાં રથ ઉલળી પડતા બાપુ પણ દુર ઉછળ્યા પણ માથા પરની પાઘડી પકડી રાખવાથી માત્ર હાથ પગે છોલાયું અને માથુ બચી ગયું.
  • ડરબનમાં તેઓએ આખો દિવસ બધા સમાચારપત્રની ઓફિસોમાં ફરીને પોતાના અપમાન માટે નિવેદનની નકલો પહોંચાડી .
  • બીજા દિવસે કોર્ટના પ્રસંગના અનુસંધાનમાં ત્યાંના અખબારમાં થોડા ફેરફાર સાથે “ અનવેલકમ વિઝીટર “ ના નામે નિવેદન છપાયું તે મોહનદાસને ઓછુ ગમ્યું પણ છપાયાનો આનંદ થયો .
  • અખબારમાં પત્ર છપાવાથી થોડા દિવસ માટે મોહનદાસ કુલી બેરિસ્ટરના નામથી જાણીતા થયા હતા .
  • મોહનદાસ ભારતથી પોતાની સાથે ગીતા, રામાયણ, ટોલ્સટોયના પુસ્તક લઇ ગયા હતા.
  • ઘણા દિવસો બાદ તેઓએ ગીતા વાંચવા ખોલી અને તેમનો શ્લોક ગાયોમાં હું કપિલા છુ ………………. શ્લોક વાંચ્યો .
  • લંડનમાં એક પ્રોફેસરે મોહનદાસને પોશાક માટે સલાહ આપી હતી. મોહનદાસ તે સલાહ હંમેશા યાદ રાખી પોશાક પહેરવામાં ચીવટ રાખતા.
  • મોહનદાસને પી.નોટ નો અર્થ ખબર ન હતી તે તેઓને દાદાના કેશિયર પાસેથી જાણવા મળ્યો.
  • દાદા ને તેમના સગા અને વેપારી તૈયબ શેઠ વચ્ચે વેપાર અંગે થયેલ તકલીફનો કેસ હતો તેમાં મદદ કરવાની હતી.
  • મોહનદાસને ડરબન સ્ટેશન પર ગોરાઓ અને કાળાઓ માટેના અલગ રસ્તો જોઈ આશ્ચર્ય અને દુઃખ થયું .
  • મોહનદાસે પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં સફર શરુ કરી. તેઓ દાદાએ આપેલા કુરાન શરીફ વાંચતા હતા અને વચ્ચે વચ્ચે પોરબંદરના વિચારોમાં ખોવાઈ જતા હતા.
  • ટ્રેન પીટરમારિત્સબર્ગ સ્ટેશન પર આવીને ઉભી રહી ત્યારે ટ્રેનના ફર્સ્ટક્લાસમાં મોહનદાસ એકલા જ હતા તેવામાં એક ગોરો મુસાફર તે જ ડબ્બામાં પ્રવેશ્યો .
  • ગોરો  મુસાફર ડબ્બામાં મોહનદાસને જોઈને પાછો ઉતરી ગયો અને રેલવેના બે કર્મચારીને લઇ આવ્યો . તે કર્મચારીઓએ મોહનદાસને કાળાઓ માટે આ ડબ્બો નથી તેમ કહી ઉતરી જવા કહ્યું .
  • મોહનદાસે તેઓની વાતનો વિરોધ કર્યો પણ તેઓ સમંત ન થયા . જો મોહનદાસ જાતે ન ઉતરે તો જબરદસ્તીથી ઉતારવામાં આવશે તેમ જણાવ્યું છતાં તેઓ ઉતર્યા નહિ .
  • છેવટે મોહનદાસને ટ્રેનમાંથી ધક્કો મારી સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા અને ટ્રેન આગળ નીકળી ગઈ .
  • મોહનદાસે આ ઘટનાનો વિરોધ કર્યો પણ તેઓને સાંભળનાર ત્યાં કોઈ ન હતું . સ્ટેશન પર બીજા કાળા લોકોએ તેઓને સાંત્વના આપી .
  • મોહનદાસે આ ઘટનાનો તાર દાદા અબ્દુલ્લાને મોકલ્યો અને આ ઘટના માટે રેલવેના જનરલ મેનેજરને કમ્પ્લેઇન કરવા કહ્યું . દાદા આ ઘટનાથી દુઃખી થયા .
  • મોહનદાસ સ્ટેશન પર ઠંડીમાં ઠરતા હતા ત્યારે અન્ય કાળા મુસાફરે તેઓને મદદ કરી હતી .
  • બીજા દિવસે મોહનદાસને રેલ્વે કર્મચારીએ જાતે ફર્સ્ટ કલાસમાં બેસાડ્યા.
  • મોહનદાસને આગળ યાત્રામાં સિગરામવાળાએ અને અન્યોએ પણ અપમાન કર્યું હતું .
  • મોહનદાસ પ્રિટોરિયા પહોંચ્યા ત્યારે તેમને લેવા માટે કોઈ ન આવતાં મુજવણમાં મુકાયા અને છેવટે નજીકની જોન્સટન હોટલમાં ગયા .
  • બીજા દિવસે હોટલમાંથી મોહનદાસ મિ બેકરના ઘરે પહોંચ્યા .
  • મિ  બેકરે મોહનદાસને રહેવા માટે મેટીલ્ડાના ઘરે પેઈંગગેસ્ટ તરીકે વ્યવસ્થા કરી આપી .
  • મિ બેકર અને મોહનદાસ વચ્ચે ખ્રિસ્તી ધર્મ વિશે ગરમાગરમ સરસ ચર્ચા થતી .

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પહેલો ગિરમીટયો ભાગ –૪  માટે થોડી રાહ જુઓ ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

પહેલો ગિરમીટયો ભાગ – ૨

મિત્રો સાહિત્ય પરીષદમાં પહેલો  ગિરમીટયોના આસ્વાદ કાર્યક્રમમાં  બ્લોગજગતમાંથી  લતાબેન હિરાણી, મુર્ત્ઝાભાઈ પટેલ આવ્યા હતા .

મિત્રો ગિરમીટ એટલે એગ્રીમેન્ટ . મોહનદાસ ગાંધી એક વર્ષના ગિરમીટ પર દાદા અબ્દુલ્લાના કેસમાં મિ. બેકરને મદદ કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને તે સમય ગાળા દરમ્યાન જે પ્રસંગો, ઘટનાઓ બની તે આ નવલકથામાં  સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલો ગિરમીટયોમાંથી કેટલાંક અવતરણો ………

પ્રકરણ -૧ 

  • ઈ.સ ૧૮૬૦ની ૧૬ નવેમ્બરે એડીગ્ટન બંદરે ભારતના મદ્રાસથી ટુરો સ્ટીમ્બર ૩૪૨ કુલીઓ એટલે ગિરમીટિયા લઈને આવી હતી .
  • ટુરો સ્ટીમ્બર પરથી પ્રથમ કુલી દેવારામ અને બીજો અબ્રાહમ ઉતર્યો હતો .
  • ટુરો સ્ટીમ્બર ના આવેલા કુલીઓમાંથી પ્રથમ નોકરી ૪૯ નંબરના કુલીને મળી હતી .
  • મિ. ક્રોમ્પટન દેવારામ અને તેના પરિવારને એક વર્ષના ચાલીસ પાઉન્ડ આઠ શિલિંગમાં લઇ ગયો હતો.
  • મિ. બિશપ અબ્રાહમ અને તેના પરિવારને એક વર્ષના એકત્રીસ પાઉન્ડ છ શિલિંગમાં લઇ ગયો હતો.

પ્રકરણ – ૨ 

  • આ પ્રકરણમાં સડરીન્ધમ અને ફ્યુજિલિયર સ્ટીમ્બર ડૂબી જવાનો કરુણ પ્રસંગ છે .
  • સડરીન્ધમ સ્ટીમ્બર મોરેશિયસ જતું હતું .
  •  ફ્યુજિલિયર સ્ટીમ્બર આફ્રિકા જતું હતું .

 

પહેલો ગિરમીટયો ભાગ – ૩ માટે થોડી રાહ જુઓ ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦