પ્રકરણ – ૪
- આ પ્રકરણમાં મોહનદાસ તેમના પિતાના અંતિમ સમયની વાત છે . મોહનદાસને તેમના ઘરમાં બધા મોની યો કહેતાં હતાં .
- મોહનદાસના કાકા એક રાતે તેમના પિતાની ખબર કાઢવા માટે આવ્યા અને મોહનદાસને તેમના કાકાએ પોતે પિતાજીની સેવા કરશે અને તું જઈને સુઈ જા તેવું કહેતાં ની સાથે જ મોહનદાસ ત્વરિત પોતાના રૂમમાં કસ્તુર સાથે સુવા ચાલ્યા ગયા .
- મોહનદાસ પોતે કસ્તુર સાથે સૂતા હતાં તે જ સમયે તેમના બાપુએ શ્વાસ છોડી દેતાં તેઓ દુઃખી થઇ ગયા . પોતે કસ્તુર સાથે સબંધ સાધતા હશે ત્યારે બાપુના આત્માએ તેમને જોયા હશે તેવા ગાંડા વિચારો આવતાં હતાં .
- ક્સ્તુરને બાળક મરેલું જન્મતા પિતાની ચાકરીમાં છેલ્લે ઉણપ કરી તેનું જ પરિણામ માની લીધું .
- મોહનદાસને શેખ મહેતાબ સાથે મિત્રતા હતી તેનો કસ્તુર અને ઘરનાને વિરોધ હતો .
- મોહનદાસ મહેતાબને પોતાને થયેલાં અનુભવો પત્રમાં લખતા અને તે કસ્તુર અને તેમના પુત્ર હરીને સંભળાવતા .
- મોહનદાસ પ્રિટોરિયામાં રહેતા હિન્દુસ્તાનીઓના ભાવિ વિશે ચર્ચા કરવા માટે તૈયબ શેઠને મળવા ગયા . તૈયબ શેઠ સાથે વાતચીતમાં જણાવી દીધું કે દાદા અબ્દુલ્લાના વકીલ તરીકે અને આ ચર્ચા બન્ને અલગ વાત છે તે સ્પષ્ટતા કરી .
- શેઠ હાજી મહમદના ઘરે બધા ભારતીયોની મીટીંગ ગોઠવાઈ અને આગળ વધુ મીટીંગો વાંરવાર થતી રહી .
- મોહનદાસ મોડી રાતે ૯ વાગે તેમના મિત્ર મિ. કોટ્સ સાથે ફરવા નીકળતા ત્યારે મિ.કોટ્સ મોહનદાસને કહેતાં હતાં કે રાતે ૯ વાગ્યા બાદ કાળાઓને ફરવા નીકળવાની મનાઈ છે.
- મિ.કોટ્સે કાયદો વધુ સમજાવવા મોહનદાસને મિ. ક્રાઉઝ પાસે લઇ ગયા. મિ. ક્રાઉઝે પોલીસ હેરાન ના કરે તે માટે એક પત્ર લખી આપ્યો .
આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .
પ્રકરણ – ૫ માટે થોડી રાહ જુવો ……………………
પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .
પહેલો ગિરમીટયો ભાગ – ૨
પહેલો ગિરમીટયો ભાગ – ૩
પહેલો ગિરમીટયો
લેખક } ગીરીરાજ કિશોર
અનુવાદક } મોહન દાંડીકર
પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર
કિમંત } રૂ . ૩૫૦
આટલી સુંદર વાતો આ[પે રજુ કરીને
ગુજરાતી સમાજ ઉપર ખુબ જ મોટો ઉપકાર કરેલ છે.
શ્રી. રૂપેનભાઈ આપનો ખુબ આભાર