એક છોકરો હતો . તે ગંગાસ્નાન માટે જતો હતો . તેની માતાએ તેને ચાર લાડવા આપ્યા . રસ્તામાં તેને ભૂખ લાગી . લાડવા ખાવા એણે જેવી પોટલી ખોલી કે તરત સામે એક ભિખારી આવી ઊભો .
છોકરાએ એને બે લાડવા આપી દીધા . જયારે એ છોકરો ગંગાસ્નાન કરીને પાછો ઘેર પહોંચ્યો ત્યારે તેની માતાએ પૂછ્યું , ” તને આપેલા લાડવા તેં ખાધાને ? “
બાળકે જવાબ આપ્યો , ” બે લાડવા ખાધાને બે કચરાપેટીમાં નાંખી દીધા !”
” એટલે શું ?”
” મેં ભિખારીને બે લાડવા ખવડાવી દીધા અને બે હું ખાઈ ગયો જ .મેં પોતે ખાધા તે તો કચરાપેટીમાં જ નાંખ્યા કહેવાય ને ?”
અતિથિની સેવા એ ઊંચું કર્તવ્ય છે . પોતાની સંપત્તિનો ઉપભોગ જો પોતે જ કરીએ તો એમાં શી બડાઈ ? ખરી સંપત્તિ એ જ છે કે જે પરમાર્થે વપરાતી હોય .
{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }