તૈરંતઃકરણમ્ સવૈવૃત્તિમેદેન તદદ્ધ્રીધા |
મનો વિમર્શેરૂપં સ્યાદ્ બુદ્ધિ: સ્યાન્નીશ્ચયાત્મિકા || ૨૦ ||
૨૦ – તે સર્વેના મળેલા સત્વાંશોમાંથી અંતઃકરણ થાય છે . તે અંતઃકરણ વૃત્તિના ભેદ વડે બે પ્રકારનું છે . તેમાં સંશયરૂપ જે વૃત્તિ તે મન કહેવાય છે , અને નિશ્ચયરૂપ જે વૃત્તિ તે બુદ્ધિ કહેવાય છે .
રજોંડશૈ: પંચભિસ્તેષામ્ ક્રમાત્કમેંદ્ધ્રીયાણી તુ |
વાક્પાણીપાદપાયુપસ્થાભિધાનાનિ જજ્ઞઇરે || ૨૧ ||
૨૧ – તે પાંચ સુક્ષ્મભૂતોના રજોગુણના અંશોમાંથી ક્રમપૂર્વક વાણી , હાથ , પગ , ગુદા અને ઉપસ્થ એ નામની પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઇ .